શહીદોની યાદમાં આજે સોમવારે બપોરે માળિયાની બજારો બંધ પાળશે

- text


માળીયા : જમ્મુ કાશ્મીરના પુલવામા માં થયેલ આંતકી હુમલાના વિરોધમાં અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા આજે સોમવારે બપોરે ૧૨થી ૨ માળિયાની બજારો બંધ રાખી મૌનરેલી યોજાશે.

જમ્મુ કાશ્મીર ખાતે પુલવામા માં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં અને શહીદ વીર જવાનોની યાદમાં માળિયા મિયાણા શહેરમાં આજે સોમવારે બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી બજારો બંધ રાખીને મૌનરેલી યોજી વીર જવાન શહીદોને શ્રધાંજલિ આપી આતંકવાદીઓ વિરુદ્ધ કડક શબ્દોમાં વિરોધ નોંધાવાશે.

- text

માળિયા મિયાણા શહેરની જુમ્મા મસ્જિદ ચોકથી બપોરે ૧૨ વાગ્યે યોજાનાર આ રેલીમાં સુન્ની મુસ્લિમ જમાત, તાલુકા સરપંચ એસોસિએશન, ખેડૂત અન્યાય નિવારણ તથા વિકાસ સમિતિ માળિયા મિયાણા, આનંદી સંસ્થા, અને તમામ દેશભક્તો હાજર રહેશે અને મૌનરેલી યોજી માળિયા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરશે.

 

- text