માળિયાના સરવડ ગામે બેસણામાં શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

- text


ગ્રામજનોએ કેન્ડલ માર્ચ યોજીને દેશના વીર સપૂતોને વીરાંજલિ અર્પી

મોરબી : કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર સપૂતોને સર્વત્ર શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.ત્યારે માળીયાના સરવાડ ગામે જૈફ વયના વડીલના બેસણામાં ગ્રામજનોએ કેન્ડલ માર્ચ યોજીને ભારતમાતાના વીર સપૂતોને હદયપૂર્વક વિરાંજલી અર્પણ કરી હતી.

- text

માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા ગોવિદભાઈ પ્રભુભાઈ વિલપરા ઉ.વ.91નું આવસાન થતા તેમનું આજે બેસણું રાખવામાં આવ્યું હતું. દરમ્યાન કાશ્મીરમાં આંતકી હુમલામાં સી.આર. પી.એફ.ના જવાનો શહીદ થયા હોવાની દુઃખદ ઘટના બનતા વડીલના લૌકિક કાર્યમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવાનું નક્કી કર્યું હતું.જેમાં સગા સંબંધી તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહીને કેન્ડલ માર્ચ યોજીને ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાજલી આપીને ભારત સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

- text