વાંકાનેરમાં ગુમ થનાર માતા-પુત્રી મળી આવી

- text


પતિ સાથે રહેવા ન માંગતી હોવાથી પિયરે ગઈ હોવાનું પોલીસને નિવેદન આપ્યું

વાંકાનેર :વાંકાનેરમાં થોડા સમય પહેલા પરિણીતા તેની પુત્રી સાથે ગુમ થઈ હતી.ત્યારે આ પરણીતા તેની પુત્રી સાથે આજે વાંકાનેર પોલીસ સમક્ષ હાજર થઈને પતિ સાથે રહેવા માંગતી ન હોવાથી પિયરે ગઈ હોવાનું નિવેદન નોંધાવ્યું હતું.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલા ફારૂક મસ્જિદ પાસે રહેતી જેતુનબેન સદમભાઈ રફાઈ ઉવ.22 તેની બે વર્ષની પુત્રી મરિયમ સાથે ગત તા.31 જાન્યુઆરીએ ગુમ થઈ ગયાની તેના પતિએ વાંકાનેર પોલીસમાં ગુમસુદા નોધાવી હતી.દરમ્યાન આજે આ પરણીતા તેની પુત્રી સાથે વાંકાનેર પોલીસ મથકે હાજર થઈ હતી અને પોલીસ સમક્ષ તેણીએ નિવેદન નોંધાવ્યું હતું કે તે તેના માતાપિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.પતિ સાથે રહેવા ન માંગતી હોવાનું જણાવતા વાંકાનેર પોલીસે તેમનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text