મોરબી : વિવિધ સંસ્થાઓ દ્વારા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમોનું આયોજન

- text


આજે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ કાલે શનિવારે CRPF ના શહીદ જવાનો માટે વિરાંજલી કાર્યક્મ યોજાશે

મોરબી : કાશ્મીરમાં તારીખ 14ને ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે ભારતભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે, ત્યારે મોરબી શહેર પણ આમાંથી બાકાત નથી. ગઈકાલે ટંકારામાં જવાનોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મોરબી ખાતે તારીખ 15ને શુક્રવારે પુલવામા થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સાંજે 7 વાગ્યે સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડથી ગાંધી ચોક ભગત સિંહ સ્ટેચ્યુ સુધી શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ માટે શહીદી વ્હોરી લેનાર જવાનો માટે માત્ર 15 મિનિટ ફાળવવાનો અનુરોધ કરાયો છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારે સાંજે 6.30 કલાકે નેહરુગેટથી ગાંધી ચોક ભગતસિંહના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું છે.

- text

આ ઉપરાંત GIDC ના નાકા પાસે, સંસ્કાર બ્લડ બેંકની બાજુમાં શનાળા રોડ ખાતે તારીખ 16ને શનિવારે રાત્રે 8:00 કલાકે રાષ્ટ્ર પ્રેમી સંસ્થાઓ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબીના રાષ્ટ્રપ્રેમીઓને હાજર રહેવા માટે અનુરોધ કરાયો છે.

- text