- text
મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા આજે માર્કેટીંગ યાર્ડ ખાતે કાશ્મીરના પુલાવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓએ બે મિનિટ મૌન પાળીને ભારે હૈયે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથોસાથ ઘાયલ થયેલા વીર જવાનો વહેલી તકે સ્વસ્થ થાય તથા શહીદ જવાનોના પરિવારજનોને આ દુઃખદ ઘડીમાંથી પસાર થવાની પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરી હતી.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text