ટંકારા :પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ફોર્મમાં વધુ ચાર્જ લેવાતા ખેડૂતો લાલઘૂમ

- text


ટંકારા : હડમતિયામાં હાલ ઈ-ગ્રામ પંચાયત હેઠળ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ફોર્મ ભરવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે ત્યારે હડમતિયા ગ્રામપંચાયતના ઈ-ગ્રામના પાસવર્ડ હેઠળ પ્રાઈવેટ જગ્યામાં બેસી ૭/૧૨/૮ અ ના પ્રિન્ટ કાઢીને ૩૦ રુપીયા ચાર્જ વસુલતા ગામના ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.

આ અંગે ગામના જાગૃત નાગરીક, પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા હડમતિયા ગ્રામપંચાયત પાસે મહેસુલ વિભાગના પરિપત્રની નકલ માગતા અને ટંકારા અે ટી ડી.અો. ગૌતમ ભીમાણી સાથે ટેલિફોનીક વાત કરતા ૭/૧૨/૮ અ નો ઈ-ગ્રામ તળે શું ચાર્જ લેવવામા આવે છે તેની સંપુર્ણ માહિતી મળી હતી અને તત્કાલિન અસરથી તલાટી મંત્રીને ૭/૧૨/૮ અ ના ૧૫ રુપીયા જ લેવા જણાવ્યું હતું છતા ૨૦૧૩ ના પરિપત્રને આધિન ૧૫ રુપીયાના બદલે ૩૦ કેમ લીધા તે ચર્ચાનો વિષય બનીને જ રહી ગયો છે.અને જે ૩૦ રુપીયામા ખેડુત ખાતેદારો ૭/૧૨/૮ અ કઢાવીને લઈ ગયા તેમનું શું….? તેવી ખેડુત ખાતેદારોમા ચર્ચા થઈ રહી છે. જો આ જાગૃત નાગરીકે આ બાબતને ગંભીરતાથી ન લીધી હોત તો ખેડુત ખાતેદારોના બેંક ખાતામા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની રકમ આવતા આવશે પરંતું તે પહેલા ખેડુત ખાતેદારોને ખોટો ખર્ચ ભોગવવો પડ્યો હોત.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text