મોરબી: અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત પુરાણ કથાનું આયોજન

- text


મોરબી: અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં તારીખ 26ને મંગળવારથી ભાગવત પુરાણ કથાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સાત દિવસીય આયોજનમાં કથા ઉપરાંત વિવિધ માંગલિક પ્રસંગોની ઉજવણી થશે.

આ કથાના મુખ્ય વક્તા મોરબી-2ના રામધન આશ્રમના બાળ વિદુષી રતનબેન અને ગુરુ ભાવેશ્વરી માતાજી છે. સાત દિવસ ચાલનારી આ કથામાં ભરતભાઈ ભાવસારના ઘરેથી (મેલડીમાના મંદિરની બાજુમાં) પોથીયાત્રા, પરીક્ષિત રાજાનો જન્મ, ભગવાનના અવતારો, નંદ મહોત્સવ, રુક્મણિ વિવાહ, સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. કથાનો સમય બપોરે 2 થી 6નો રહેશે. કથાની પુર્ણાહુતી તારીખ 4ને સોમવારે થશે. તે દિવસે મહાશિવરાત્રી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે કથાનો સમય સવારે 8 થી 11:30નો રહેશે. આ કથાનો તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે સર્વ જનતાને અનુરોધ કરાયો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text