વાંકાનેરમાં મિત્રના ઝઘડાનું સમાધાન કરવા મામલે યુવાન પર તલવારથી હુમલો

- text


વાંકાનેર : મિત્રના ઝઘડાના સમાધાન કરવા મામલે ત્રણ શખ્સોએ યુવાન પર તલવાર અને છરીથી હુમલો કરતા આ બનાવ વાંકાનેર પોલીસ મથકે પહોંચ્યો હતો.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના જીનપરા શેરી નેબર 11માં રહેતા રાકેશભાઈ નારણભાઇ ગોહિલ ઉ.વ.25એ વાંકાનેરના અર્જુનસિંહ તેજુભા ઝાલાના મકાનમાં ભાડેથી રહેતા જગદીશભાઈ તથા તેનો ભાણેજ અને એક અજાણ્યા શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેના મિત્રને જગદીશભાઈના ભાણેજ સાથે કોઈ બાબતે અગાઉ ઝઘડો થયો હોય તેનું સમાધાન કરવા માટે વાંકાનેરના નવાપરામાં આવેક દશામના મંદિર પાસે આરોપીઓ પાસે ગયા હતા.ત્યારે આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીઓએ તલવાર અને છરીથી યુવાન અને તેની સાથે રહેલા વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો.આ બનાવ બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.અને આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text