મોરબી નજીક વનાળીયાના પાટીયા પાસે મિલર અને કાર વચ્ચે અકસ્માત : એકનુ મોત

- text


મોરબી નજીક વનાળીયાના પાટીયા પાસે મિલર અને કાર વચ્ચે અકસ્માત : એકનુ મોત

મોરબી : મોરબીના નવલખી રોડ પર વનાળીયાના પાટીયા પાસે આવેલ રેલ્વે ફાટકે મિલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક વ્યક્તિનુ ધટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિમાંથી એક મહીલાને સામન્ય ઈજા પહોંચી હતી.

નાનીવાવડી ગામના ચાર વ્યક્તિ અને મોડપરના એક વ્યક્તિ કચ્છમાં આવેલ કટારીયા હનમાનજી દર્શન કરવા ગયા હતા અને દર્શન કરી પરત ફરતા વનાળીયા પાસે આવેલ રેલ્વે ફાટક પાસે ફાટક બંધ હોવાથી સફારી કાર પાર્ક કરી ઉભા હતા તે દરમ્યાન પાછળથી આવતુ સિમેન્ટ કોકરેડ ભરેલ ટેન્કર પ્રથમ રેલ્વે ફાટક સાથે અથળાયુ હતુ ત્યાર બાદ એકદમ નમી જતા કાર પર પડ્યુ હતુ અને કારનો ભુગો કરી નાખ્યો હતો જોકે કારમાં સવાર એક વ્યક્તિ દબાય જતા તેનુ મોત થયુ હતુ જ્યારે અન્ય એકને સામાન્ય ઈજા પોહચી હતી જ્યારે ત્રણ લોકો આબાદ બચાવ થયો હતો.

- text

ધટનાની જાણ થતા વાવડી ગામ સહીત આજુબાજુ ગામના લોકો એકઠા થઈ ગયા હતા તુંરત ૧૦૮ અને પોલીસને જાણ કરતા પોલીસ અને ૧૦૮ નો કાફલો ધટના સ્થળ પર પોહચી ગયો હતો અને મરણ જનારને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text