મોરબી: નવા ખારચીયામાં કરુણાનિધાન આશ્રમ દ્વારા આજે ભવ્ય સંતવાણીનું આયોજન

- text


કરુણાસાગર ભગવાનની 247મી જન્મજયંતિ અને જયશ્રીદાસ માતાજીના 30 દીક્ષા પૂર્ણતા વર્ષની ઉજવણી

મોરબી: મોરબી જિલ્લાના નવા ખારચીયા ગામે કરુણાનિધાન આશ્રમ(ઓમનગર) દ્વારા તારીખ 5ને મંગળવારે રાત્રે 9:15 કલાકે કરુણાસાગર ભગવાનના 247મા પ્રાગટ્યોત્સવ અને જયશ્રીદાસ માતાજીના 30 દીક્ષા પૂર્ણતા વર્ષ નિમિતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંતવાણીમાં મહંત જયશ્રીદાસ માતાજી, ઓસમાણ મીર(ભજનિક), બિરજુ બારોટ(ભજનિક), શબ્બીર મીર, અબ્દુલ મીર, નિકુંજ અગ્રાવત, અયુબ મીર, નઝીર મીર અને મેહુલ મકવાણા(બેન્જોવાદક), રમીઝ મીર(કીબોર્ડ), પ્રકાશભાઈ, મનીષભાઈ, યુસુફભાઇ(મંજીરા) વગેરે જેવા કલાકારો વેગડ સાઉન્ડ સિસ્ટમ અંજાર(કચ્છ) અને ગિરિરાજ સ્ટુડિયો સંગાથે ભજનોની રંગત જમાવશે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા માટે રમેશભાઈ સાકરીયા(9879055090) અને સંજયભાઈ સાકરીયા(9879647973) એ અનુરોધ કર્યો છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text