હળવદના કડીયાળા ગામે ૧૧મીએ રામામંડળ કાર્યક્રમ

- text


હળવદ : નકલંક નેજાધારી રામામંડળ તોરણીયા ધામ દ્વારા હળવદ તાલુકાના કડિયાણા ખાતે તા.૧૧ ફેબ્રુઆરીને સોમવારે રામામંડળ રમવામાં આવશે. પૂ. રાજેન્દ્રદાસ બાપુના આશિર્વચન સાથે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજક યોગેશભાઈ બાબુભાઇ માકાસણાએ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપ્યુ છે.

- text

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ જયદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ પ્રદીપસિંહ જાડેજા તેમજ મંત્રી કરણભાઈ સોલંકી માર્ગદર્શન આપી રહ્યા છે. યોજાનાર કાર્યક્રમમાં તબલા ઉસ્તાદ વિક્રમભાઈ રાઠોડ, ઓર્ગન પ્લેયર દિનેશભાઇ જશાણી તેમજ પેડ પ્લેયર અનિલભાઈ પણ રંગ જમાવશે.

- text