મોરબીના ભડીયાદમાં વેલનાથ બાપુના મંદિરના ૧૭મા વર્ષમાં પ્રવેશની મંગળવારે ઉજવણી

- text


મહાપ્રસાદ, સંતોના સામૈયા અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન

મોરબી: ભડીયાદ પાસે આવેલ વેલનાથ બાપુના મંદિરનાં ૧૭મા વર્ષમાં પ્રવેશ નિમિતે મંદિરમાં તા.૫ ફેબ્રુઆરીને મંગળવારે સંવત ૨૦૭૫ મહા સુદ-૧ નાં દિવસે ભડીયાદ રોડ, સાયન્સ કોલેજ સામે, ભડીયાદ કાંઠે વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે.

- text

આ ઉજવણીમાં બપોરે ૩:૩૦ કલાકે સંતોનાં સામૈયા, સાંજે ૫:૦૦ વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે ૧૦:૦૦ વાગ્યે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીનાં કલાકારો ભજનિક ગુણવંતમામા, ભજનિક મુકેશબાપુ સાધુરામ, કમલેશભાઈ, અભેસંગભાઈ, બેન્જૉવાદક જગદીશભાઇ(પડાણાવાળા), મંજીરાવાદકો મહાદેવભાઇ દલવાડી અને રામુભાઈ પ્રજાપતિ છે. આ પ્રસંગનો લાભ લેવા માટે નાગજીભાઈ ભગત(૯૯૦૯૪૮૫૮૯૩) અને ભુપતભાઈ દેગામા(૯૭૨૫૩૧૮૦૧૩) દ્વારા અનુરોધ કરાયો છે.

- text