મોરબીમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

- text


 

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝને તપાસ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિશિપરામાં રહેતા પ્રવીણ લાલજીભાઈ ઉ.વ. ૨૨એ પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે જાણ થતા બી ડિવિઝને બનાવની નોંધ કરી યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડયો છે. હાલ પોલીસ દ્વારા યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.

- text