- text
મોરબી : મોરબીના જસમતગઢની પરિણીતા નેહલબેન મયુરભાઈ રંગપરીયા (ઉ.વ.૨૦) ખાનપર રહેતા તેના ભાઈના ઘરે ઝેર પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ પરિણીતા તેના નાનાભાઈના લગ્નમાં પિયર ખાનપર ગામે આવી હતી. લગ્ન પ્રસંગના ચાર દિવસ પુરા થતા પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાને હજુ થોડા દિવસ પિયરમાં રોકાવું હતું અને હાલ સાસરે જવું ના હોય પરંતુ પતિ તેડવા આવતો હોવાનું જાણી તેને આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પોલીસે આત્મહત્યાનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text
- text