મોરબી : પ્રજાસત્તાક પર્વ નિમિતે સરસ્વતી શિશુમંદિરના ભૂલકાઓ કરશે પથ સંચલન

- text


મોરબી શ્રી સરસ્વતી શિશુમંદિર દ્વારા થશે પ્રજાસત્તાક પર્વની વિશિષ્ટ ઉજવણી

મોરબી : વિદ્યા ભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન, શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એવી શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં (શકત શનાળા મોરબી ) પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે. આ ઉજવણી દરમ્યાન તા. ૨૬ જાન્યુઆરીના રોજ સવારે ૭:૪૫ કલાકે શાળા ખાતે ધ્વજવંદન યોજાશે.જેમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો સહિતના દરેક કર્મચારીગણ ભાગ લેશે.

આજ દિવસે સાંજે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતી એક પથ સંચલન (જાહેર પરેડ) યોજવામાં આવનાર છે. જે શનિવારે સાંજે ૩:૪૫ કલાકે ૧) સરદારબાગથી ગાંધી ચોક સુધી ૨) સ્વાગત હોલથી ગાંધી ચોંક સુધી તેમજ ૩) જી.આઈ.ડી.સીથી ચંદ્રેશનગર સુધી જશે.

પથ સંચલનમાં ભાગ લેનારને ઉત્સાહિત કરવા તેમજ જે જે સ્થળેથી એ પસાર થાય ત્યાં એમને આવકારીને ફૂલડે વધાવવા શ્રી સરસ્વતી શિશુમંદિર શકત શનાળાના નિયામક સુનિલ પરમારે મોરબીવાસીઓને અનુરોધ કર્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text