મોટા દહીંસરામાં સ્વ. મયુર ડાંગરની પુણ્યતિથિ નિમિતે ૨૯મીએ રક્તદાન કેમ્પ

- text


માળિયા : માળિયાના મોટા દહીંસરા ગામે આગામી તા. ૨૯ને મંગળવારના રોજ સ્વ. મયુર ડાંગરની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવો પણ હાજરી આપશે.

મૂળ જુના નાગડાવાસના વતની અને રાજકોટની વિરાણી હાઈસ્કૂલના પૂર્વ શિક્ષક સ્વ. મયુરભાઈ ડાંગરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મોટા દહીંસરા ગામમાં માધવ પેટ્રોલપંપ ખાતે આગામી તા. ૨૯ને મંગળવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે. આ તકે નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશી તેમજ મહંત પ્રભુદાસજીબાપુ ઉપસ્થિત રહેશે.

આ રક્તદાન કેમ્પમાં પધારીને રક્તદાન કરવા માટે આયોજક વિનોદભાઈ હૂંબલ, ભરતભાઇ હૂંબલ, વસંતભાઈ હૂંબલ અને જયદીપભાઈ હૂંબલે જાહેર અનુરોધ કર્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text