વાંકાનેર : રેલવે લાઇન પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો

- text


વાંકાનેર : વાંકાનેર મામલતદારની ઓફિસ પાછળ રેલવે લાઇન પાસેથી એક યુવાનનો મૃતહેહ મળી આવ્યો હતો.ત્યારે આ બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે જાણવા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી મળતી વગતો અનુસાર વાંકાનેર મામલતદાર ઓફિસ પાછળ આવેલી રેલ્વે લાઇન પાસેથી અજાણ્યા માણસની લાશ મળી આવી હતી, પોલીસની તપાસમાં મૃતક ધારસીભાઈ કાળુંભાઈ ભોજવીયા ઉ.વ.35 રહે નવાપરા દેવીપૂજક વાસ વાંકાનેર વાળો હોવાની ઓળખ મળી હતી.આ બનાવની રેલવે પોલિસે જાણ કરતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text