મોરબીમાં ગટર ઉભરવાની મૌસમ : પંચાસર રોડ પરની સોસાયટીમાં ગટરો ઉભરાઈ

- text


સોસાયટીવાસીઓનો બળાપો અનેક વખત રજુઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય

મોરબી : મોરબીમાં જાણે ગટર ઉભરવાની મૌસમ શરૂ થઈ હોય તેમ એક પછી એક વિસ્તારમાં ગટર ઉભરવાની સમસ્યા સામે આવી રહી છે. જેમાં લાતીપ્લોટ બાદ આજે પંચાસર રોડ ખાતે આવેલી ચંદ્રેશનગર સોસાયટી, શેરી નંબર 5ની ગટરો આજે ઉભરાઈ હતી.

આ અંગે ચંદ્રેશનગરના રહેવાસીઓએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવામાં આવે છે પરંતુ કોઈ કાયમી ઉકેલ મળતો નથી. ફરિયાદ બાદ ગટર સાફ કરવા માટે પાલિકાના માણસો આવે છે પણ થોડા દિવસોમાં સ્થિતિ જેમની તેમ થઇ જાય છે. અનેક વખત ફરિયાદ કરવા છતાં સ્થિતિ સુધરતી નથી અને પરિણામ શૂન્ય મળે છે. આથી સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આજે સોસાયટીમાં ભેગા મળીને બળાપો કાઢ્યો હતો તેમજ આ પ્રશ્નના નિવારણ માટે માંગણી કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text