વાંકાનેરમા પરિણીતાનો ગળાફાંસો ખાઈને આપઘાત

- text


વાંકાનેર : વાકાનેર નજીક સીરામીક ફેકટરીમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર નજીક હશનપરમા આવેલ ધવલ સીરામીકમા રહેતા સુમિતાબેન ભુરો આદિવાસી ઉ.વ. ૨૫એ પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પરિણીતાનો લગ્નગાળો ૮ વર્ષનો હતો. પરિણીતાના આપઘાત પાછળનું કારણ શોધવા માટે વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text