ટંકારાની લાઈફ લીંકસ વિદ્યાલયમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


ટંકારા : ટંકારાની લાઈફ લીંકસ વિદ્યાલયમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં તજજ્ઞો દ્વારા ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ટંકારાની લાઇફ લિંકસ વિદ્યાલયમાં કારકિર્દી સેમિનાર યોજાયેલ. તેમાં ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને ઉજ્જવળ પરિણામ મેળવવા માટેની તૈયારી અંગેનું માર્ગદર્શન અપાયુ હતું. આ સાથે કેરિયર અને ઉચ્ચ કારકિર્દી તેમજ સ્કોરિંગ ગુણભારને લગતી જાણકારી અપાઈ હતી. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને તમામ માહિતી લાઈફ લિંકસ વિદ્યાલયના પ્રમુખ જયંતિભાઈ બારૈયા તેમજ આચાર્ય અને શિક્ષકોએ પુરી પાડી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text