પેટ્રોલપંપના નામે ઠગનાર ટોળકીએ અગાઉ ખેડા અને પૂનામાં પણ વેપારીને છેતર્યા હોવાની કબૂલાત

- text


જેતપર ગામના વેપારી પાસેથી ખોટી રીતે રૂ. ૧.૬૯ કરોડની રકમ પડાવનાર ટોળકીના બે સભ્યો છ દિવસની રિમાન્ડ ઉપર

મોરબી : મોરબીના જેતપર ગામના વેપારી સાથે પેટ્રોલપંપના નામે રૂ. ૧.૬૯ કરોડની ઠગાઈ કરનાર ટોળકીના બે શખ્સોએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત આપી છે કે તેઓએ અગાઉ પણ ખેડા અને પૂનાના વેપારીઓને છેતર્યા હતા. આ બન્ને શખ્સોની કોર્ટે ૬ દિવસની રિમાન્ડ મંજુર કરી દેતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જેતપર ગામના વેપારી પાસેથી રિલાયન્સ પેટ્રોલપંપના બહાને રૂ. ૧.૬૯ કરોડ પડાવી લેનાર ટોળકીનો એલસીબીએ પર્દાફાશ કર્યો હતો. આ ટોળકીના બે સભ્યોને એલસીબીએ બિહાર જઈને પકડી પાડ્યા હતા. આ બન્ને શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરાતા તેઓએ કબૂલાત આપી હતી કે અગાઉ પણ તેઓએ આ જ પ્રકારે ખેડા અને પુનાના બે વેપારીઓને છેતરીને પૈસા પડાવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.ટી. વ્યાસે જણાવ્યુ કે બન્ને શખ્સોને પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે બન્ને શખ્સોના ૬ દિવસના જામીન મંજુર કરી આપ્યા છે. જેથી બન્ને શખ્સોની આગામી તા. ૨૧ સુધી પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે.

- text

- text