વાંકાનેરમાં ઈકો ચાલકે બે મોટરસાયકલને હડફેટે લીધા : ઈજાગ્રસ્ત બાળકના મોત બાદ મહેન્દ્રગિરિનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે ગત તારીખ ૩૧/૧૨/૧૮ ના રોજ ઈકો વાહન ચાલક દ્વારા મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા ઇજાગ્રસ્ત મહેન્દ્રગિરિ સુખદેવગીરી ગોસ્વામી અને રીંકેશ કિર્તીભાઈ ત્રિવેદીને પ્રથમ સારવાર વાંકાનેર ખાતે આપેલ ત્યારબાદ બાળકને વધુ ઇજા હોવાથી રાજકોટ ગોકુલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ.

ઈજાગ્રસ્ત બાળક સારવાર દરમિયાન ગત તારીખ ૭/૧/૧૯ ના રોજ મુત્યુ પામેલ તેમજ કાલે સાંજે ઈજાગ્રસ્ત મહેન્દ્રગિરિ સુખદેવગીરી ગોસ્વામીનું મોત થયેલ જે અંગેની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર મામલતદાર કચેરી નજીક આવેલ પોસ્ટ કર્મચારીઓના ક્વાર્ટર પાસે ગત તારીખ ૩૧/૧૨/૧૮ ના રોજ ઇકો વાહન ચાલકે બે મોટર સાયકલને ઠોકરે લીધેલ હતા જેમાં એક બાળક અને અન્ય એક પૌઢને ઇજા થયેલ અતિ ઇજાગ્રસ્ત પામેલા રીંકેશ કિર્તીભાઈ ત્રિવેદી ઉ.વ. ૧૫ ને માથાનાં ભાગમાં તથા છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થયેલ હોય જેથી પ્રાથમિક સારવાર વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડેલ જ્યાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન ૭/૧ ના રોજ વહેલી સવારે હોસ્પિટલના ફરજ પરના તબીબે રીંકેશને મૃત જાહેર કરેલ. જ્યારે ગઈકાલે સાંજે મહેન્દ્રગિરિ સુખદેવગીરી ગોસ્વામીનું મોત થઈ જતા પરિવારમાં શોકની લાગણી જન્મી છે ઇકો ચાલક અકસ્માત કરી નાસી ગયેલ હોય જેના ગાડી નંબર જીજે 36 બી 6321 વિરુદ્ધ મહેન્દ્રગીરી સુખદેવગીરી ગોસ્વામીએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગેનો ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

- text

પાયલ ટેલિકોમ વાંકાનેર વાળા ચેતનભાઇ અને અમિતભાઈ ના પિતા સ્વ. મહેન્દ્રગીરી સુખદેવગીરી ગોસ્વામીનું બેસણું તારીખ ૧૭/૧/૧૯ ગુરૂવાર ના રોજ સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન અમરનાથ સોસાયટી શેરી નં.૫ વાંકાનેર ખાતે રાખેલ છે ભગવાન ભોળાનાથ શિવશંકર મહાદેવ તેમની આત્માને શાંતિ અર્પે

- text