હળવદમાં વિર માંધાતાની ભવ્ય શોભાયાત્રા નીકળી

- text


કોળી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

હળવદ : સમસ્ત કોળી સમાજ દ્વારા વિર માંધાતા ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

તારીખ ૧૪ જાન્યુઆરીના રોજ હળવદ શહેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા વિર માંધાતા ના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શહેરના વિનોબા ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરેલ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને શિશુમંદીરના ગ્રાઉન્ડમાં સમાપન કરવામાં આવે આ સાથે જ એક જાહેર થવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જીજ્ઞાબેન કોળી ,ડો પ્રકાશભાઈ કોરડીયા, હળવદ- ધાંગધ્રા ઠાકોર સમાજના યુવા અગ્રણી પપ્પુભાઈ ઠાકોર, નવીનભાઈ મદ્રેસાણીયા ,ચંદુભાઈ શિહોરા ,સહિતના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા

- text

સમગ્ર શોભાયાત્રાને સફળ બનાવવા જેન્તી ભાઈ બાવળીયા ,સતિષભાઈ ચનુરા, રાજુભાઈ સીપરા, હીરાભાઈ ઓળકીયા સહિત કોળી સમાજના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તો સાથે જ પોલીસ દ્વારા પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન બંદોબસ્ત ગોઠવ્યો હતો

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text