મોરબીમાં સ્નેહમિલન તથા રકતદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : રવાપર રોડ ઉપર આવેલ ઉમા હોલ ખાતે તાજેતરમાં બિલિયા પટેલ સોશ્યલ ગૃપ દ્વારા પરિવારોનુ સ્નેહમિલન તથા જરુરિયાતમંદ દર્દીઓને લોહીની જરુરિયાત પૂરી પાડવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગ્રુપના સભ્યોએ જરીરીયાતમંદો માટે રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બિલિયા પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ હરજીવનભાઇ જીવાભાઇ સાણંદિયા તથા કારોબારીના દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text