મોરબીના પાર્શ્વ જીવદયા ગ્રૂપે પાંજરાપોળ માટે રૂ. ૨ લાખનું ભંડોળ એકત્ર કર્યું

- text


મોરબી : મોરબીના પાર્શ્વ જીવદયા ગ્રૂપે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પાંજરાપોળ માટે ફાળો એકત્ર કરવાનું અનેરું સેવાકાર્ય હાથ ધર્યું હતું. જેમાં આ ગ્રૂપે રૂ. ૨ લાખનું માતબર ભંડોળ એકત્ર કર્યું છે.

મકરસંક્રાંતિના પર્વે દાન પુણ્યનો અનેરો મહિમા છે. ત્યારે આ પર્વ નિમિત્તે શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ પાર્શ્વ જીવદયા ગ્રૂપે મોરબી પાંજરાપોળ માટે અનુદાન એકત્ર કરવાનો અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. જેમાં પાર્શ્વ જીવદયા ગ્રૂપે રૂ. ૨.૦૪ લાખનું માતબર રકમનું ભંડોળ મોરબી પાંજરાપોળ માટે એકત્ર કર્યું છે.

- text

- text