- text
મોરબી : મોરબીની મોરબીની માં મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળા દ્વારા આગામી ૨૬મીએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ બાળકો વિવિધ કૃતિઓ પણ રજૂ કરવાના છે.
મોરબીના માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીઆઇડીસી શનાળા રોડ પર જેકે પેઇન્ટ્સમાં મા મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોનું શાળા કાર્યરત છે. દિવ્યાંગ બાળકો માટે ચાલતા અનોખા શ્રમયજ્ઞની ફલશ્રુતિ રૂપે આગામી ૨૬મી જાન્યુઆરીએ બપોરે ૪ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું શાળા ખાતે જ આયોજન કરવામાં આવ્યું છે.
- text
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અનિલાબેન પીપળીયા, સુનિલભાઈ રાઠોડ, ક્ષમાબેન આદ્રોજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
- text