મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને માર માર્યો

- text


મોરબી : મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ઇન્દીરાનગરમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરના ચોકની બાજુમાં રહેતા મહેશભાઈ કાથળભાઈ પરમારે ઇન્દીરાનગરના વોકળા પાસે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતેનભાઈ બાધુભાઈ માનેવાડિયા અને મહેશભાઈ ઉર્ફે ટેગો બાધુભાઈ માનેવાડિયા સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓને અગાઉ કોઈ બાબતે કાનાભાઈ સાથે માથાકૂટ થઈ હતી.દરમ્યાન ઉત્તરાયણના દિવસે ફરિયાદી કાનાભાઈને મુકવા જતા હતા.તેથી આરોપીઓએ અહીં કેમ આવ્યો તેમ કહી જૂની માથાકૂટનો ખાર રાખી ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે યુવાનની ફરિયાદના આધારે બન્ને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text