મોરબી : બીમારીથી કંટાળી આધેડે ટ્રેન હેઠળ પડતું મુક્યું

- text


મોરબી : મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન હેઠળ ઝંપલાવી એક આધેડે આત્મહત્યા કરતા રેલવે પોલીસ દ્વારા એના પરિવારજનોની માહિતી મેળવવા કવાયત હાથ ધરાઈ છે.

આજે સવારે ૧૦:૩૫ કલાકે મોરબી વાંકાનેર ટ્રેન નંબર ૭૯૪૫૪ હેઠળ એક આધેડે પડતું મુકતા ઘટના સ્થળે જ એમનું કમકમાટી ભર્યું મોત થયુ હતું. મૃતકની તપાસ કરતા એમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં જણાવ્યાનુસાર બીમારીથી કંટાળી તેઓ આ પગલું ભરી રહ્યાનું જણાવ્યું હતું. નોટમાં લખેલી ઓળખ પ્રમાણે મૃતક શેરી નંબર ૪, ચિત્રકૂટ સોસા. જી આઈ ડી સી પાછળ, શનાળા રોડ , મોરબી ખાતે રહેતા જીવરાજ પટેલ હોવાનું જાણવા મળેલ છે. ચિઠ્ઠીમાં પુત્ર રાહુલનું નામ અને મોબાઈલ નંબરના આધારે રેલવે પોલીસે મૃતકના પરિજનો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text