મોરબી : શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા શનિવારે નિઃશુલ્ક યોગ શિબિર

- text


સ્વસ્થ જીવન જીવવાનો ગુરુ મંત્ર આપતી શિબિરનો લાભ લેવા નગરજનોને આમંત્રણ

મોરબી : શ્રી રામ યોગ કેન્દ્ર મોરબી દ્વારા 3 SRB યોગ પ્રણેતા એસ.એન.તાવરિયાજી આયોજિત નિઃશુલ્ક યોગ શિબિરમાં ઉપસ્થિત રહેવા ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.જેમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે એવા યોગ અભ્યાસ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવનાર છે.

આ યોગ શિબિર જયંતીલાલ પારેખ (આણંદ) તેમજ તેજુભાઈ આચાર્ય (નડિયાદ)ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહી છે. લયબદ્ધ શ્વસન દ્વારા સ્વાસ્થ્ય કઈ રીતે સંપૂર્ણ તંદુરસ્ત બનાવી શકાય એ વિશેની પ્રત્યક્ષ જાણકારી આ શિબિરના માધ્યમથી શીખવવામાં આવશે. તા.૧૨/૦૧/૨૦૧૯ને શનિવારે બપોરે ૩:૩૦ કલાકે પી.જી.પટેલ કોમર્સ કોલેજ, શનાળા રોડ , મોરબી ખાતે આ શિબિર શરૂ થશે. તો નગરજનોને આ શિબિરનો નિઃશુલ્ક લાભ લેવા આયોજકો તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text