મોરબીમાં શનિવારે રાસરંગપરના પ્રખ્યાત રામામંડળનો કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં આગામી શનિવારના રોજ વ્યાસ જ્ઞાતિના લાભાર્થે રાસરંગપરના પ્રખ્યાત રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા વ્યાસ જ્ઞાતિના સમુહ લગ્નોત્સવના લાભાર્થે આગામી તા. ૧૨ને શનિવારના રોજ વિજયપિચ, સરદારનગર સામે, શ્રી કુંજ સોસાયટી પાછળ, કંડલા બાયપાસ રોડ ખાતે રાત્રે ૯ કલાકે ગુજરાત સહિત દેશભરમાં ધર્મ કળાના કામણ પાથરનારા રાસંગપરના રામામંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

- text

આ ધાર્મિક કાર્યક્રમમાં ધર્મપ્રેમી જાહેર જનતાને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text