મોરબીની પરિણીતા બે પુત્રીઓ સાથે લાપતા

- text


મોરબી : મોરબીની પરિણીતા તેમના બે પુત્રીઓ સાથે લાપતા બની હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરીને તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીમાં સિદ્ધાર્થ સોસાયટી પાછળ આવેલ ગુરુકૃપા હોટેલમાં રહેતા જયશ્રીબેન મનીષભાઈ પરમાર જેને જાંબલી કલરનો ડ્રેસ પહેરેલ છે. વાને રૂપાળા, ઊંચાઈ ૫ ફૂટ તેમજ તેમની બે પુત્રીઓ દીપિકા ઉ.વ. ૭, ક્રિષ્ના ઉ.વ. ૫ બન્નેએ ગરમ કપડાં પહેરેલા છે. આ ત્રણેય ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા હોવાની મનીષભાઈ દાનાભાઈ પરમારે બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી છે.

- text

જેના પગલે બી ડિવિઝન પોલીસે આ લાપતા થયેલ પરિણીતા અને તેમની બન્ને પુત્રીઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text