- text
જે કોચમાં હત્યા થઈ છે જે કોચને અલગ કરાયો : ભાનુશાલીની ડેડબોડી અમદાવાદ ખસેડાઇ
મોરબી : કચ્છ અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ અને ભાજપના કદાવર નેતા જેન્તિ ભાનુશાલીની ગત રાત્રે ૨ વાગ્યે સયાજી એક્સપ્રેસમાં ચાલતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી, જેમાં ભાનુશાળીના માળીયા મિયાંણાં આવેલા પરિવારજનોએ હત્યા પાછળ ભાજપના નેતા છબીલ પટેલ સામે આરોપ લગાવ્યો છે.
જેન્તિ ભાનુશાલીની હત્યા છાતી અને આંખના ભાગમાં ગોળી મારીને કરાઈ હતી. જેન્તિ ભાનુશાલીનાં મૃતદેહને માળીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવયો હતો. જયાં તેમનાં પરિવારજનો પહોંચ્યા હતાં. પરિવારજનોએ આ હત્યામાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો હાથ હોવાનું કહ્યું હતું.
- text
જેન્તિ ભાનુશાલી સાથે ટ્રેનમાં પવન મૌર્ય નામનો વ્યક્તિ હતો જેની પૂછપરછ કરાતા સામે આવ્યું કે જે કોચમાં હત્યા થઈ તે કોચને અલગ કરી ટ્રેનને અમદાવાદ મોકલવામાં આવી હતી. જ્યારે પ્રથમ ભાનુશાળીના મૃતદેહને માળીયા મિયાણાં હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તેમના પરિવારજનો પોહચ્યા બાદ મૃતદેહને અમદાવાદ લઈ જવાયો છે.
અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલાં કથિત વિડીઓ ક્લિપને લઈને જેન્તિ ભાનુશાલી અને છબિલ પટેલ વિવાદોમાં ઘેરાયા હતાં.
લોકસભાની ચૂંટણી પહેલાં જેન્તિ ભાનુશાલી જેવા કદાવર નેતાની હત્યા થતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text