વાંકાનેરમાં ઈકો ચાલકે બે મોટરસાયકલને હડફેટે લીધા : ઈજાગ્રસ્ત ૧૫ વર્ષના બાળકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે ગત તારીખ ૩૧/૧૨/૧૮ ના રોજ ઈકો વાહન ચાલક દ્વારા મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા ઇજાગ્રસ્ત મહેન્દ્રગિરિ સુખદેવગીરી બાવાજી અને રીંકેશ કિર્તીભાઈ ત્રિવેદીને પ્રથમ સારવાર વાંકાનેર ખાતે આપેલ ત્યારબાદ બાળકને વધુ ઇજા હોવાથી રાજકોટ ગોકુલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ.

ઈજાગ્રસ્ત બાળક સારવાર દરમિયાન ગત તારીખ ૭/૧/૧૯ ના રોજ મુત્યુ પામેલ જે અંગેની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર મામલતદાર કચેરી નજીક આવેલ પોસ્ટ કર્મચારીઓના ક્વાર્ટર પાસે ગત તારીખ ૩૧/૧૨/૧૮ ના રોજ ઇકો વાહન ચાલકે બે મોટર સાયકલને ઠોકરે લીધેલ હતા જેમાં એક બાળક અને અન્ય એક પૌઢને ઇજા થયેલ અતિ ઇજાગ્રસ્ત પામેલા રીંકેશ કિર્તીભાઈ ત્રિવેદી ઉ.વ. ૧૫ ને માથાનાં ભાગમાં તથા છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થયેલ હોય જેથી પ્રાથમિક સારવાર વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડેલ જ્યાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન ૭/૧ ના રોજ વહેલી સવારે હોસ્પિટલના ફરજ પરના તબીબે રીંકેશને મૃત જાહેર કરતાં ત્રિવેદી પરિવારમાં શોકની લાગણી જન્મી છે. ઇકો ચાલક અકસ્માત કરી નાસી ગયેલ હોય જેના ગાડી નંબર જીજે 36 બી 6321 વિરુદ્ધ મહેન્દ્રગીરી સુખદેવગીરી બાવાજીએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે અંગેનો ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text