મોરબીમાં બાઇક અકસ્માતમાં સાડા ત્રણ મહિના પૂર્વે ઘવાયેલા આધેડનું મોત

- text


અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધા બાદ સારવાર દરમિયાન આધેડે દમ તોડ્યો

મોરબી : મોરબીના ઘુંટુ ગામ નજીક સાડા ત્રણ મહિના પૂર્વે સર્જાયેલા બાઇક અકસ્માતમા ઘવાયેલા આધેડે અંતે દમ તોડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક ઘુંટુ ગામ પાસે મોરબી-હળવદ રોડ પર ગત તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ અજાણ્યા વાહન ચાલકની હડફેટે બાઈકસવાર કાનજીભાઈ બરાસરા રહે. ઉમા ટાઉનશીપ વૈભવપેલેસ વાળાને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવના સાડા ત્રણ મહિના બાદ સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજ્યું છે. જેથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text