વાંકાનેરમાં રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટ : છરીના ઘા ઝીંકાયા

- text


વાંકાનેર : વાંકાનેરમાં બે રિક્ષાચાલકો વચ્ચે થયેલી માથાકૂટમા એકને છરીના ઘા ઝીંકીને ઇજાઓ પહોંચાડવામાં આવતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના મિલ પ્લોટમાં રહેતો યુશુફ ઉર્ફે બાબુલ શેખ હિરેનભાઈની માલિકીની રીક્ષા ચલાવતો હતો. પરંતુ રીક્ષા ચલાવવાનું ભાડું આપ્યું ન હોવાથી હિરેનભાઈએ અન્ય એક રિક્ષાચાલક નીતિનભાઈ મનસુખભાઇ ધરજીયા ઉ.વ. ૨૨ને પોતાની રીક્ષા ભાડેથી ચલાવવા આપવાનું કહીને યુશુફ પાસેથી રીક્ષા લેવા મોકલ્યો હતો.

- text

રીક્ષા લેવા ગયેલા નિતીભાઈને યુશુફે છરીના ઘા ઝીંકીને ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે નિતિનભાઈની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે યુસુફ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text