વાંકાનેર મચ્છુ નદીનાં રેલવે બ્રિજ પરથી અજાણ્યા પુરુષની લાશ મળી

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ મચ્છુ નદીનાં રેલવે બ્રિજ પર તારીખ ૭/૧/૧૯ ના સવારે ૬:૩૦ પહેલાં રેલ્વેના પાંચ અને છ નંબરના પીલર વચ્ચે કોઈ ટ્રેનની ઠોકર લાગતાં ઇજા પહોંચતા મરણ થઈ ગયેલ છે. મરણ જનાર અંદાજિત ૩૦ વર્ષનો પુરુષ છે અને તેને ગુલાબી શર્ટ અને બ્લેક જાકીટ પહેરેલ છે. જો કોઈ આ વ્યક્તિને કે તેમના વાલીવારસોને ઓળખતા હોય તો વાંકાનેર રેલવે પોલીસ ઈન્દુભા ઝાલાનો સંપર્ક કરવો મો. ૯૮૨૫૨૧૫૮૯૫

- text