મોરબી : ગિરનારી આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

- text


શ્રી દેવ પ્રયાગગીરી બાપુની અષ્ટમી પુણ્યતિથિ નિમિતે સંત દર્શન-મહાપ્રસાદનો લાભ લેવા ભક્તોને આમંત્રણ

મોરબી : પ.પૂ.સદગુરુ દેવ શ્રી દેવ પ્રયાગગીરી બાપુની અષ્ટમી પુણ્યતિથિ નિમિતે શ્રી ગીરનારી આશ્રમ, ગંગેશ્વર મહાદેવ મંદિર, લીલાપર રોડ મોરબી ખાતે સવંત ૨૦૭૫ પોષ સુદ ૪ને તારીખ ૧૦-૧-૧૯ને ગુરુવારના રોજ સવારે ૭ કલાકે ગુરુપૂજન તેમજ બપોરે ૧૧-૩૦ કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૯ને બુધવારે રાત્રે ૯ કલાકે ધૂન ભજનનો કાર્યક્રમ યોજાનાર છે.

- text

સાધ્વી મહંત હંસગીરી માતાજી તેમજ મહંત શ્રી મદનગીરી મહારાજ તેમજ આશ્રમના સેવકગણ તરફથી સર્વે ધર્મપ્રેમી જનતાને આ આયોજનમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text