વાંકાનેર બાઉન્ડ્રી પાસે અજાણ્યા વાહન હડફેટે બે યાત્રાળુના મૃત્યુ

- text


વાંકાનેર : આજે રવિવારે વહેલી સવારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી ગીરીરાજ હોટલ સામે એક અજાણ્યા વાહન હડફેટે બે યાત્રાળુના મૃત્યુ નીપજેલ છે જેમાં એક યાત્રાળુ અંધજન છે.

રાજકોટ ખાતે આવેલ અંધજન કલ્યાણ મંડળમાં પટાવાળા તરીકે નોકરી કરતાં વિજયભાઈ જગદીશભાઈ કણજારીયા ઉંમર વર્ષ ૨૩ અને અંધજન સંસ્થામાં રહેતાં રવિભાઈ મેરામભાઈ ડાંગર તથા પરાક્રમસિંહ ગોહિલ એમ ત્રણે જણા રાજકોટ થી ચોટીલા પગપાળા માનતા પુરી કરવા જતા હોય તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલનાકાથી આગળ ગીરીરાજ હોટલ પર ચા-પાણી પીવા જવા માટે રોડ ક્રોસ કરતાં હતાં તે દરમિયાન પરાક્રમસિંહે રોડ ક્રોસ કરી લીધેલ પરંતુ પાછળ આવતા રવિ તથા વિજયને ચોટીલા બાજુથી આવતાં કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તે બંનેનું સ્થળ પર મૃત્યુ નિપજેલ.

- text

આ અકસ્માતની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં તાત્કાલિક સુરેશભાઈ આહીર, ગોપાલભાઈ કાલરીયા તેમજ હરપાલસિંહ પરમાર બનાવ જગ્યાએ પહોંચેલ અને ટ્રાફિક ડાયવર્ટ કરી બંને ડેડબોડીના ઈન્વેસ્ટ પંચનામા કરી મરણ જનારના વાલી વારસની ઓળખો કરી તેમના પરિવારજનોને બનાવની જાણ કરી મરણ જનારને પીએમ માટે વાંકાનેર સરકારી દવાખાને ખસેડેલ. રાજકોટ અંધજન કલ્યાણ મંડળના ગૃહપતિ જયદીપભાઇ પારેખની ફરિયાદને આધારે વધુ તપાસ વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. બી.ડી. પરમાર ચલાવી રહ્યા છે.

 

 

- text