મોરબી : વાઘપરા સતવારા મંડળ દ્વારા લોકરક્ષકના ઉમેદવારો માટે રહેવા,જમવાની સુવિધા 

- text


મોરબી : મોરબીમાં લોકરક્ષક દળની પરીક્ષા આપવા માટે આવનાર તમામ ઉમેદવારો માટે વાઘપરા સતવારા મિત્ર મંડળ દ્વારા આજે  5મીએ રહેવા તથા જમવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.

મોરબી સહીત રાજ્યભરમાં આવતીકાલે તા. 6ના રોજ લોકરક્ષક દળની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. જેમાં દૂર દૂરના શહેરોમાંથી આજ રોજ ઉમેદવારો મોરબી આવી પહોંચવાના છે. ત્યારે આ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવા આશયથી મોરબીના વાઘપરા સતવારા મિત્ર મંડળ દ્વારા આજરોજ તા.5ને શનિવારના રોજ રહેવાની તેમજ જમવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

- text

કોઈ પણ સમાજના ઉમેદવારો આ લાભ લઈ શકે છે.વધુ વિગત માટે ભાવેશભાઈ કંઝારિયા મોં.નં.80000 88880, દિનેશભાઇ સોનગ્રા મોં.નં. 99793 13113 અને ચિરાગભાઈ કંઝારિયા મો.નં. 99090 68218 ઉપર સંપર્ક કરવા માટે જણાવાયું છે.

- text