- text
મોરબી : હળવદના પાંડાતીરથ અને માળિયાના રાસંગપરમાં આગામી તા. ૨૬મીએ તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજય સરકારની સુચના અનુસાર ૨૬ જાન્યુઆરી-૨૦૧૯ની તાલુકા કક્ષાએ હળવદ તાલુકાના પાંડાતીરથ અને માળીયા(મીં) તાલુકાના રાસંગપર ખાતે ઉજવણી કરવા આયોજન કરવામાં આવેલ છે. તેમ એચ.જી.પટેલ,પ્રાંત અધિકારી,હળવદની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
- text
- text