મોરબીના રહેણાંક મકાનમાં આગ : પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

- text


રસોઈ બનાવતી વેળાએ લાગી આગ : પત્નીને બચાવવા જતા પતિ પણ ગંભીર રીતે દાઝયો

મોરબી : મોરબીમા રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વેળાએ આગ લાગી હોવાની દુર્ઘટના સામે આવી છે. જેમાં પત્નીનું દાઝી જવાથી મોત નીપજ્યું હોવાની વિગતો મળી છે. પત્નીને બચાવવા જતા પતિ પણ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબીની કુબેર ટોકીઝ પાસે પાણીના ટાંકા નજીક એક રહેણાંક મકાનમાં સારિતાબેન અરવિંદભાઈ તિવારી ઉ.વ. ૩૪ નામના પરિણીતા રસોઈ બનાવતા હતા. આ દરમિયાન આગ લાગતા, તેઓ આગની ઝપેટમાં આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ અરવિંદભાઈ સુભાષભાઈ તિવારી ઉ.વ.૩૫ તેમને બચાવવા જતા ગંભીર રિટેવ દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

રસોઇ બનાવતી વેળાએ લાગેલી આ આગ જોત જોતામાં આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આ મામલે ફાયર બ્રિગેડ વિભાગને જાણ થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે મૃતક પરિણીતા સારિતાબેન અરવિંદભાઈ તિવારી મૂળ યુપીના હોય છેલ્લા ૧૦ વર્ષથી મોરબી ખાતે સ્થાયી થયા હતા. તેમના પતિ અરવિંદભાઈ સુભાષભાઈ તિવારી છૂટક મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text