મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન દ્વારા રવિવારે ફ્રી આયુર્વેદિક નિદાન કેમ્પ

- text


તમામ દર્દોનું સચોટ નિદાન કરીને આયુર્વેદિક દવાઓ અપાશે

મોરબી : મોરબીના નરસંગ મંદિરે મધુરમ ફાઉન્ડેશન દ્વારા આગામી રવિવારના રોજ આર્યુવેદીક નિદાન તથા સારવારના ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત તબીબો દ્વારા તમામ દર્દોનું સચોટ નિદાન કરીને આયુર્વેદિક દવા પણ આપવામાં આવશે.

મોરબીના રવાપર રોડ પર આવેલા નરસંગ મંદિરે મધુરમ ફાઉન્ડેશન દ્વારા તા. ૬ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ દરમીયાન નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના નિષ્ણાત તબીબ ડો. મધુસુદન પાઠક તેમજ રાજકોટના ડો. કે.એમ. જોશી અને વૈધ અશોક આડેશરા સેવા આપનાર છે.

- text

આ કેમ્પમાં બધા દર્દોનું સચોટ નિદાન કરીને તે દર્દોની સંપૂર્ણ આયુર્વેદીક દવાઓ આપવામાં આવશે. ત્યારબાદ ફોલોઅપ સારવાર પણ મધુરમ ફાઉન્ડેશન વતી નિઃશુલ્ક કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા દર્દીઓએ મધુસુદન પાઠક, ચંદ્રેશનગર મેઈન રોડ ખાતે અથવા મયુર પાન, નવયુગ વિદ્યાલય પાસે, જીઆઈડીસી રોડ ખાતે સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૪ થી ૬ દરમિયાન નામ નોંધણી કરવાવાની રહેશે.

- text