- text
મોરબી : મધુરમ ફાઉન્ડેશન મોરબી દ્વારા આગામી તા .6ને રવિવારે સવારે 9થી બપોરના1 વાગ્યા દરમ્યાન નરસંગ મંદિર, રવાપર રોડ મોરબી ખાતે અસાધ્ય અને હઠીલા રોગોની સારવાર માટે વિનામૂલ્યે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈદ્ય અશોકભાઈ આડેસરા-રાજકોટ તથા ડો.મધુસૂદન પાઠક પોતાની સેવા આપશે .આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોએ અગાઉથી પોતાના નામની નોંધણી મો.ન.99982 66163 તથા 99136 36166 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
- text