ભડીયાદ ગામે સગર્ભા માતાઓને શ્રીફળ અને પેંડા ખવડાવીને સગર્ભા દિવસ ઉજવાયો

- text


મોરબી : ભડીયાદ ગામના આંગણવાડી કેન્દ્રમાં આજે સગર્ભા માતાઓને શ્રીફળ અને પેંડા ખવડાવીને સગર્ભા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે બાળકોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

ભડીયાદ જંગલેશ્વર વિસ્તારમાં કોડનં ૯ નજરબાગ ૧૬૨ બંને આંગણવાડી કેન્દ્રને સાથે રાખીને સગર્ભા દિવસની ઉજવણી નિમિતે સગર્ભા માતાને શ્રીફળ અને પેંડા સરપંચ મંજુલાબેન તથા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જયદીપભાઈ દ્વારા ખવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રામદેવનગર કોડનં ભડીયાદ ૮ માં પણ સરપંચ તથા ન્યાય સમિતિ ચેરમેનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉજવામાં આવ્યો હતો. સાથે સાથે બાળકોને પુરી, શુકીભાજી, ખીર અને ઢોકળાનું ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

- text

- text