મોરબીમાં સતેશ્ર્વર મહાદેવ મંદિરે ચાલતી કથા દરમિયાન કાલે રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીના સતેશ્ર્વર મહાદેવ મંદિરે મહાદેવ મંદિરના લાભાર્થે શિવમહાપુરણ કથા ચાલી રહી છે. આ શિવકથા દરમ્યાન માનવ સેવા એજ પ્રભુસેવાનો ધ્યેય સાકાર કરવા માટે સતેશ્ર્વર મહાદેવ મંદિર સમિતિ તથા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ મોરબી સંચાલિત સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા તા.23ને રવિવારે બપોરે 2 થી 6 દરમ્યાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્તદાન એ મહાદાનનો સંકલ્પ સાકાર કરવા વધુને વધુ લોકો રક્તદાન તેવી ટી. સી. ફુલતરિયાએ જાહેર અપીલ કરી છે.

- text