સોમવારે મોરબીના હઝરત ગેબનશાહ પીર નો ઉર્ષ ઉજવાશે

- text


મોરબી:મોરબીના વાંકાનેર દરવાજા અંદર મદીના ચોક મોરબી ખાતે હઝરત ગેબનશાહ પીર ની જગ્યાએ ઉર્ષ ની ઉજવણી કરાશે.આ ઉર્ષ મોબારક નિમિતે તા.24ને સોમવારે મોરબીમાં સૌપ્રથમ વખત સૌરાષ્ટના મશહૂર નાઅત ખ્વા મોહંમદ શેફાઝ બરકાતી અને મોહંમદ શફી રાઝ કાદરી તેમાં મહેમાનો માં મોલાના આદમ સાહેબ ,સૈયદ તસ્લીમબાપુ (ખલીફાએ શૈખુલ ઇસ્લામ), હાફીઝ મોહંમદ યાસીન સાહેબ પૈશ ઈમામ મદીના મસ્જીદે પધારશે આ ઉર્ષમાં પ્રોગ્રામ ન્યાજ શરીફ (અસર નમાજ બાદ),સંદલ શરીફ (ઈશા નમાઝ બાદ ),નાઅત શરીફ (રાત્રે 10 કલાકે),આ કાર્યક્રમ નું આયોજક ગેબી ગ્રુપ મોરબી દ્વારા કરવામાં આવેલ છે.આ ઉર્ષમાં પધારવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટેસંપર્ક કરવો આરીફભાઇ મોં.નં.99047 64747

- text