મોરબીમાં વધુ બે ઘડિયા લગ્ન યોજાયા

- text


મોરબી : મોરબીમાં લગ્નગાળાની મોસમ ખીલી છે ત્યારે કડવા પાટીદાર સમાજમાં ઘડિયા લગ્નનો રિવાજ જોરશોરથી આગળ ધપી રહ્યો છે રવિવારે અડધો ડઝનથી વધુ ઘડિયા લગ્ન સમારોહ યોજાયા બાદ તા.10ને સોમવારના રોજ ઈશ્વરનગર નિવાસી ભાનુબેન તથા પ્રભુભાઈ જેસાભાઇ સનારીયાની સુપુત્રી ચી.મમતાના શુભ લગ્ન તળાવિયા શનાળા નિવાસી ચેતનાબેન તથા નરભેરામભાઇ ગંગારામભાઈ હરણિયાના સુપુત્ર ચી.જતીન સાથે યોજાયા હતા. આ ઉપરાંત ઈશ્વરીય મહાદેવ મંદિર ખાતે આજે કાંતીભાઈ વાલજીભાઈ ધાનજાની સુપુત્રી ચી.ઈશીકાના શુભ ઘડીયાલગ્ન ખીમજીભાઈ ઓધવજીભાઈ સનાળીયાના સુપુત્ર ચી. નીશીતકુમાર સાથે યોજાયા હતા.

- text

 

 

- text