મોરબીમાં શનિવારે ગુરુયાગ યજ્ઞ અને સંતવાણી યોજાશે

- text


પ.પૂ.સદ્દગુરૂદેવ કેશવાનંદ બાપુની ૧લ્મી પૂણ્યતિથિ નિમિતે આયોજન

મોરબી : મોરબીના શાંતિવન આશ્રમ ખાતે આગામી તા.૨૨ના રોજ પ.પૂ.સદ્દગુરૂદેવ કેશવાનંદ બાપુની ૧લ્મી પૂણ્યતિથિ નિમિતેસંતવાણી તથા ગુરૂયાગ યજ્ઞનો ભવ્યોત્સવ યોજાશે.

પરમ પૂજય અનંત વિભુષિતશ્રી સદ્ગગુરૂ શ્રી કેશવાનંદ બાપુ ગુરૂદેવ શ્રી મહેશ્વરાનંદ બાપુના ચરણ કમળમાં સાનિધ્યમાં શ્રી શાંતિવન આશ્રમ ખાતે માગસર સુદ-૧૫,(દત્ત જયંતી) શનિવાર તા. રર-૧ર-ર૦૧૮ ના રોજ સવારે ૭:૦૦ કલાકે
(ગુરૂયાગ) તથા બપોરે ૧૧-૦૦ કલાકે મહાપ્રસાદ, સાંજે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા તથા રાત્રે સંતવાણીનો કાર્યક્રમ તેમજ સંત દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે એ અમુલ્ય અવસરનો લાભ લેવા સેવક ગણને શાંતિવન આશ્રમ મોરબી તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

આ ઉપરાંત તા. રર-૧ર-ર૦૧૮ ને શનિવારે રાત્રે ૧૦:૦૦ કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયુ છે જેમાં હરસુખગીરી ગૌસ્વામી, લલીતાબેન ઘોડાદ્રા, ભગવાનજીભાઈ બોરીચા સહિતના ભજનીક કલાકારો, વિજયભાઇ મકવાણા બેન્જોવાદક, આનંદભાઇ મકવાણા, વાયોલીન,બબાભાઇ ઉસ્તાદ અને લાલાભાઇ ઉસ્તાદ સહિતના કલાકારો રંગત જમાવશે જેથી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા શ્રી કલ્યાણાનંદ ગુરૂદેવ શ્રી કેશવાનંદ બાપુ, શ્રી શાંતિવન આશ્રમ, શ્રી રત્નેશ્વર મહાદેવ, ધોળેશ્વર રોડ,મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text