મોરબીના નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ, જુઓ વિશેષ ઇન્ટરવ્યૂ

- text


મોરબીમાં આગામી 22 અને 23 ડિસેમ્બરે રાજકોટની ખ્યાતનામ ડિવેરા હોસ્પિટલ દ્વારા માતૃત્વ પ્રાપ્તિ અભિયાન અંતર્ગત ખાસ કેમ્પ

મોરબી : વ્યંધત્વ અભિશાપ નહિ પરંતુ મામૂલી બીમારી છે, જી હા આજે માનવી ચંદ્ર અને મંગળ ઉપર સંશોધનો માટે ઉતરી રહ્યો હોવા છતાં ગેરમાન્યતા અને સામાજિક કુરિવાજોને કારણે અનેક દંપતીઓ સંતાન સુખથી વંચિત હોવા છતાં ખુલીને આગળ આવતા નથી ! આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતીઓ માટે આઇવીએફ ટેક્નોલોજી આશીર્વાદ રૂપ છે અને કોઈપણ ઉંમરે માતૃત્વ પ્રાપ્ત કરાવી શક્તિ આ પદ્ધતિ અંગે લોકોમાં જાણકારી મળી રહે અને નિઃસંતાન દંપતી સંતાનસુખ પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ધ્યેય સાથે મોરબીના આંગણે આગામી તા. 22 અને 23 ડીએમબરના રોજ રાજકોટની સુપ્રસીધ્ધ ડિવેરા હોસ્પિટલના તબીબ ડો.ભાવિન કમાણી અને ડો.રૂચા જોશી માતૃત્વ અભિયાન લઈને આવી રહ્યા છે.

સ્ત્રીત્વ અને માતૃત્વ એ પરસ્પર એવી સંબંધિત હકીકત છે કે, માતૃત્વ પ્રાપ્ત કરનાર સ્ત્રી જ પૂર્ણ સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે, નહીં તો તે પૂર્ણ બનતી નથી. આથી જ દરેક સ્ત્રીની મુખ્ય ઝંખના માં બનાવની હોય છે. પરંતુ આજના આધુનિક યુગમાં પણ નિઃસંતાનપણાને લઈ સમાજના ડરે નિઃસંતાન દંપતીઓ ખુલીને આગળ આવતા નથી. આ ગંભીર બાબતને લઈ રાજકોટના વિશ્વ પ્રસિદ્ધ ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા રીતસર માતૃત્વ અભિયાન છેડવામાં આવ્યું છે અને નિઃસંતાન દંપતીઓ માટે અભિશાપ નહીં પરંતુ મામૂલી ગણાતી આ બીમારી દૂર કરવા નેમ લેવામાં આવી છે.

- text

ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના ડો.ભાવિન કમાણીના જણાવ્યા મુજબ તબીબી દૃષ્ટિએ જોઈએ તો પુરુષ કે સ્ત્રીની ખામીઓ સરખા પ્રમાણમાં હોય છે. જ્યારે 20 ટકા કેસમાં કોઈ પણ ખામી વગર દંપતિઓ નિઃસંતાનપણું ભોગવતા હોય છે. તબીબી દૃષ્ટિએ વ્યંધત્વ માટે સ્ત્રી તથા પુરુષોની ખામી સરખા પ્રમાણમાં જોવા મળી છે માટે વ્યંધત્વ માટે ફક્ત સ્ત્રીને જ જવાબદાર માનવી તે ભૂલ ભરેલું છે. વૈજ્ઞાનિક પરીક્ષણો, તપાસથી પુરુષ કે સ્ત્રીની ખામી તકલીફ શોધી સારવાર કરવાથી વ્યંધત્વ દૂર કરી શકાય છે. અને તેમના સેન્ટર દ્વારા રાજકોટ,ગુજરાત કે ભારત જ નહીં પરંતુ દેશ બહારથી પણ અત્યાર સુધીમાં 3000 દંપતીઓના ઘેર બાળકનો કિલકિલાટ ગુંજતો કરવામાં સફળતા મેળવી છે.

ડો.રૂચા જોશીના જણાવ્યા મુજબ ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં અતિ આધુનિક લેબ સુવિધા છે જ્યાં માનવ શરીર જેવા વાતાવરણમાં સફળતા પૂર્વક આઇવીએફ ટેક્નોલોજીના ઉપયોગ થકી નિઃસંતાન દંપતીને બાળક પ્રાપ્તિ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં નિઃસંતાન દંપતીઓ સારવાર માટે આગળ આવતા ન હોય ડિવેરા આઇવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર દ્વારા માતૃત્વ પ્રાપ્તિ અભિયાન શરૂ કરાયું છે અને આગામી તા. 22 અને 23 ડિસેમ્બરના રોજ મોરબીના ડો.મેરેજાની જાનકી હોસ્પિટલ, પૃથ્વીરાજ પ્લોટ, પેટ્રોલપમ્પ વાળી શેરી સરદારબાગ સામે શનાળારોડ મોરબી ખાતે વિનામૂલ્યે ટેસ્ટ ટ્યુબ બેબી નિદાનકેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.

તો રાહ કોની જુવો છો આજે આપણા સાગા સ્નેહી કે મિત્ર પરિવારને મદદરૂપ બનો અને નિઃશુલ્ક રજીસ્ટ્રેશન માટે 8128236151 અથવા 9408144569 નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવો અને 22 અને 23 ડિસેમ્બરે વિનામૂલ્યે ટેસ્ટ ટ્યુબ બેબી નિદાન કેમ્પનો લાભ મેળવો.

સુપ્રસીધ્ધ ડિવેરા હોસ્પિટલના તબીબ ડો.ભાવિન કમાણી અને ડો.રૂચા જોશી સાથેનો વિશેષ ઇન્ટીરવ્યુ જોવા નીચેની વિડીયો લિંક પર ક્લીક કરો.

 

 

- text