ટંકારમાં આવતીકાલે ભરતીમેળો

- text


ટંકારા : નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આવતીકાલે સવારના ૧૧.૦૦ કલાકે આઇ.ટી.આઇ.ટંકારા, છાત્રાલય કેમ્પસ ખાતે ઓધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

- text

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે,જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક,નોન મેટ્રીક/એસએસસી/એચએચસી આઇટીઆઇ ડીગ્રી/ડીપ્લોમા – સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text